Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગોંડલમાં યુવાને પત્ની અને સાસરીયાઓના ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્ય

ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા હોવાની સુસાઇડ નોટ મળી

ગોંડલ,તા.૧૯: રામજી મંદિર ચોકમાં રહેતા યુવાને પત્ની અને સાસરિયાંના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી.

વિગતો મુજબ કુલદીપભાઈ વિનોદભાઈ પોરિયા એ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પીએસઆઇ આર ડી ચૌહાણ તથા રાઇટર રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સુસાઇડ નોટ મળતાં પોલીસે તેને કબજે કરી હતી આ સુસાઇડ નોટમાં યુવાને લખ્યું હતું કે પત્ની અક્ષીતા અને તેના કુટુંબીજનો રૂબરૂમાં તથા ટેલિફોન દ્વારા ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા હોય કંટાળી જઇ આપઘાત કરું છું

દરમિયાન બનાવ અંગે મૃતક કુલદીપના માતા રમાબેન વિનોદભાઈ પોરીયા એ પોતાના પુત્રને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની અક્ષીતા, સાસુ સુનિતાબેન વિરેન્દ્રભાઈ ચોટલિયા, સસરા વિરેન્દ્રભાઈ મોહનભાઈ ચોટલિયા રહે ત્રણેય રાજકોટ તથા સાળા મોહિત રહે ગાંધીનગર, મોહિત ના સસરા કૌશિકભાઇ રહે ગાયત્રી નગર મેઈન રોડ રાજકોટ, તથા મોહિત ના સાઢુભાઈ કમલનયન ભાઈલાલભાઈ સોલંકી રહે વડોદરા સામે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે આઈપીસી કલમ ૩૦૬, ૧૧૪, મુજબ ગુનો દાખલ કર્યો હતો પીએસઆઇ આર ડી ચૌહાણ તથા રાજદીપ સિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કુલદીપને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની અક્ષીતા, સાસુ સુનિતા બેન તથા સસરા વિરેન્દ્રને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. યુવાન રાજકોટ ખાનગી કંપનીમાં એન્જિનિયરિંગ તરીકે નોકરી કરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(11:36 am IST)