Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જુનાગઢમાં બંધ મકાનમાંથી રૂ. ૬પ હજારની મતાની ચોરી

જુનાગઢ તા. ૧૯ :.. જુનાગઢમાં ફુલીયા હનુમાન મંદિર પાસે આવેલ પ્યારા બાવાના મઢમાં રહેતા દિલીપભાઇ દેવગીરી ગૌસ્વામી અને તેનો પરિવાર મકાનને તાળા લગાવીને બહારગામ ગયો હતો.

ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ખાબકયા હતાં. બાથરૂમની દિવાલની બારીમાંથી ઘરમાં પ્રવેશેલા તસ્કરો કબાટની તિજોરીમાંથી રૂ. ૪૦ હજારની રોકડ અને સોનાની બુટી તેમજ ચેઇન મળી કુલ રૂ. ૬પ હજારની મતા ચોરીને તસ્કરો નાસી ગયા હતાં.

આ અંગે દિલીપ ગૌસ્વામીએ ગઇકાલે  ફરીયાદ કરતાં એ.ડીવીઝના પી. એસ. આઇ. વી. કે. ઉંજીયાએ તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)