Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જામનગર શ્રી શિરડી સાંઇબાબા મંદિરે નિદાન કેમ્પ

જામનગર : શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે વર્ષમાં ત્રણ પૂનમ એટલે કે, હોળી પૂનમ, ગુરૂપુર્ણિમા તેમજ શરદ પુનમની રાત્રે શ્વાસના રોગના દર્દીઓ માટે વિનામુલ્યે કેમ્પનું આયોજન કરાયુ છે. શરદપુર્ણિમાની રાત્રે શ્વાસરોગના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. કેમ્પમાં દર્દીઓને શ્વાસ રોગથી બચવા શું કરવુ અને શું ન કરવુ તે અંગેની માહિતી આયુર્વેદિક ડોકટરો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પનો સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગામોથી આવેલ ૧૦૮ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં પૂર્વ મેયર ડો.અવિનાશભાઇ ભટ્ટ, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, ભાજપ મંત્રી ખુમાનસિંહ સરવૈયા, નવાનગર નેચર કલબના પી.ડી.રાયજાદાએ ઉપસ્થિત રહી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. તેમ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:57 am IST)