Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મોરબીના ટ્રાવેલ્સ સંચાલક ટીનુભા જાડેજાની હત્યામાં વોન્ટેડ આરોપી ઝબ્બે

ધ્રુવરાજસિંહ ઝાલાની ધરપકડ : અગાઉ છ આરોપી પકડાઇ

 મોરબી તા ૧૯  : મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની તલવારના ઘા ઝીંકી ભત્રીજાઓ સહીતના સાત શખ્સોએ હત્યા કર્યાના બનાવમાં પોલીસે છ આરોપીને ઝડપી લીધા હતા અન્ય એક આરોપી નાસ્તો ફરતો હોય તેને દબોચી લેવાયો હતો

બનાવની મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય હોય, જેની ગત તારી ૨/૫/૨૦૧૯ ના રોજ વહેલી સવારે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય, તેમજ બઘડાટીમાં અન્ય બે યુવાનોને ઇજા પહોંચી હતી, ત્યારે હત્યાના બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, સાત શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ડ્રઇવર ધીમલભાઇએ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય, જે બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી આરોપીઓએ સમાધાન માટે બોલાવી વરના કાર તથા ક્રેંટા કારમાં આવીને અત્યા કરી હતી, જેમાં પોલીસે હત્યામાં સાત નામ હતા જેમાંથી છ ને અગાઉ ઝડપી લીધા હતા અને અન્ય એક આરોપી ઝડપવાનો બાકી હતો, જેમાં બી ડીવીઝન પી.આઇ. પી.બી. ગઢવી તેમજ દસભા ચાવડા સહીતની ટીમે નાસતો ફરતો આરોપી ધ્રુવરાજસિંહ ઝાલાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:52 am IST)