Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

માળીયાના નાની બરારમાં રાજકોટના આહિર યુવાન પ્રવિણ ચાવડાનો આપઘાત

યુવાનના પત્નિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઃ બે સંતાન પિતા વિહોણા

રાજકોટ તા. ૧૯: મુળ રાજકોટના અને હાલ મોરબીના નાની બરાર ગામે રહેતાં પ્રવિણભાઇ રાણાભાઇ ચાવડા (ઉ.૩૫) નામના આહિર યુવાને ગઇકાલે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

 

આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પત્નિને નાની બરાર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી હોઇ જેથી પતિ-પત્નિ તથા એક પુત્ર અને એક પુત્રી નાની બરાર રહેતાં હતાં. પ્રવિણભાઇએ આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર આવ્યું નથી. રાજકોટ પોલીસને પ્રાથમિક કાર્યવાહી કરી માળીયા મિંયાણા પોલીસને જાણ કરી હતી. બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

(11:53 am IST)