Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં ગણેશ વિસર્જન સાથે પર્યાવરણ બચાવોનો સંદેશ.

મોરબીના નવી પીપળી ગામે આવેલ ધર્મગંગા સોસાયટીના રહેવાસીઓ પણ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું અને ૧૦ દિવસ સુધી ધામધુમથી ગણેશ મહોત્સવની ઉજવણી કર્યા બાદ આજે ગણેશ વિસર્જન કરીને પર્યાવરણ બચાવોનો અનોખો સંદેશ આપ્યો હતો
ધર્મગંગા સોસાયટીમાં ગજાનંદ ગણપતિ મહારાજની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ગણેશ મહોત્સવની ઉજવણી બાદ આજે વિસર્જનના દિવસે સોસાયટીમાં જ ગણપતિ બાપાનું વિસર્જન કરાયું હતું અને માટીની પ્રસાદીરૂપે બે દિવસ પછી લત્તાવાસીઓને આપવામાં આવશે જે કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી કમલભાઈ દવે અને સાથી કાર્યકર્તાઓ જોડાયા હતા.

(9:25 pm IST)