Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીના ભરતનગર આઈટીઆઈ વર્કશોપમાંથી ચોરી થયાની ચાર મહીને ફરિયાદ

વર્કશોપમાંથી અલગ અલગ સાધનો મળીને કુલ રૂ ૪૮,૦૦૦ ની ચોરી કરી આરોપીઓ નાસી ગયા

મોરબી પંથકમાં પોલીસનું અસ્તિત્વ જ ખત્મ થઇ ગયું હોય તેમ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને ચોરીના બનાવો ચિંતાજનક હદે વધી ગયા છે તો પોલીસ મોડી ફરિયાદ નોંધી તસ્કરોને પ્રોત્સાહન આપતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેમાં મોરબીના ભરતનગર નજીક આઈટીઆઈ વર્કશોપમાં ચાર માસ પૂર્વે થયેલી ચોરીની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ટંકારાના ગાયત્રીનગરના રહેવાસી પ્રભુભાઈ સુંદરજીભાઈ ઘેટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ભરતનગર ખાતે આઈટીઆઈ વર્કશોપમાંથી ગત તા. ૦૨-૦૫-૨૧ થી તા. ૦૩-૦૫-૨૧ દરમિયાન અજાણ્યા શખ્સોએ વર્કશોપમાંથી અલગ અલગ સાધનો મળીને કુલ રૂ ૪૮,૦૦૦ ની ચોરી કરી આરોપીઓ નાસી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચાર મહિના બાદ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે તો ચોરીના બનાવોમાં પોલીસની ફરિયાદ ના નોંધવાની આળસુ વૃતિ તસ્કરોને પ્રોત્સાહન આપનાર બની રહી છે તેવી ચર્ચા પણ પ્રબુદ્ધ નાગરિકોમાં જોવા મળી રહી છે

(9:23 pm IST)