Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ભાવનગરમાં જવાહર મેદાનમાં ઝૂંપડપટ્ટીમાં વીજળી પડતા એકનું મોત: ૨ દાઝી ગયા

ભાવનગર શહેરના જવાહર મેદાનમાં ઝૂંપડપટ્ટીમાં આજે રાત્રે વીજળી પડતાં ૧નું મોત નિપજયું છે અને બે જણા દાઝી જતાં હોસ્પિટલ ખસેડાએલ છે.

 ભાવનગર શહેરમાં આજે દિવસ પર વરસાદ પડયો ન હતો અને ઉઘાડ નીકળ્યો હતો. દરમિયાન રાત્રે આઠ વાગે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. શહેરના જવાહર મેદાનમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં વિજળી પડતા જીતેન્દ્રભાઈ રાઠોડ નામના યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે દાઝી જવાથી હોસ્પિટલ ખસેડાયેલ છે. ભાવનગર શહેર સિવાય જિલ્લામાં અન્ય ક્યાં વરસાદ પડ્યો નથી.

(9:25 pm IST)