Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજની એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કેબિનેટ મંત્રી દ્વારા કરાયું

ગુજરાત સરકાર દ્વારા 460 જેટલી પશુ એમ્બુલન્સ તાલુકા કક્ષાએ આપવાનો સરકારનો નિર્ધાર છે તેમાં 240 પશુ એમ્બુલન્સ અપાઇ ગઇ છે:.કુવરજીભાઈ બાવળીયા

 

ધોરાજી : ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા  ધોરાજીની જનતા માટે  એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

   ધોરાજી ત્રણ દરવાજા પાસે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવેલ કે ધોરાજી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજી ની જનતા માટે એ સેવા કાર્ય કરેલ છે તે ખરેખર બિરદાવવા લાયક છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપવાની જે સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ વાત કરી છે તે પણ બિરદાવવા લાયક છે હાલમાં કોરોના મહામારીના સમયમાં સમાજ દ્વારા સન્માન બુકે અને સાદો ઓઢાડીને સન્માન કરવાનું જ હતું તે મે ના પાડી છે તેથી સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોની ક્ષમા માંગી હતી સાથે સાથે જણાવેલ કે ગુજરાત સરકારે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સુવિધાઓ દરેક તાલુકા કક્ષાએ આપી છે સાથે સાથે પશુઓની પણ ચિંતા કરી છે અને પશુ એમ્બુલન્સ માટે રાજ્ય સરકારે 460 જેટલી એમ્બ્યુલન્સ દરેક તાલુકા કક્ષાએ આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે અત્યાર સુધીમાં 240 પશુ એમ્બુલન્સ અપાઈ ગઈ છે અને જે તાલુકા બાકી છે તેઓને પણ સરકાર શ્રી દ્વારા વિતરણ કરવામાં આવશે
   ધોરાજીમાં kavita સેન્ટર ક્યારે શરૂ થશે જે બાબતે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બે દિવસમાં એટલે કે સોમવારે શરૂ થઈ જશે જે અંગે તડામાર કામગીરી ચાલુ છે
  સમારોહમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, ગરાણા જમાતના પ્રમુખ મકબુલભાઈ ગરાણાં, ઓલ ઇન્ડિયા મેમણ જમાતના  પ્રમુખ હાજી અફરોઝભાઈ લક્કડકુટા, સરકારી વકીલ કાર્તિકભાઈ પારેખ હમીદભાઈ ગોડીલ બિલ્ડર મનોજભાઈ રાઠોડ તેમજ ડેપ્યુટી કલેકટર  ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા  પોલીસ ઇન્સ્પેક્ટર  હૂકુમતસિંહ જાડેજા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા ભાજપના અગ્રણી  વી ડી પટેલ બાળ રોગ નિષ્ણાંત ડો ચામડીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિનુભાઈ માથુકિયા  હસુભાઈ ટોપિયા  ભરતભાઈ બગડા  નયનભાઈ  કુહાડીયા જયસુખભાઇ ઠેસીયા સલીમભાઈ પાનવાલા વિજય ભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા સલીમભાઈ શેખ મુસ્લિમ સમાજની ચોવીસ જમાતના આગેવાનો અને અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ જે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાયું હતું.
   સમારોહમાં યાસીનભાઈ નાલબંધ પ્રમુખ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ મકબુલભાઈ ગરાણા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું
  આ સમયે મુસ્લિમ સમાજની 24 જમાતો માંથી યાસીનભાઈ નાલબંધ બશીરમિયા સૈયદ હાજી અફરોજ લકકડકુટ્ટા   બોદુભાઈ ચૌહાણ સલીમભાઈ શેઠ મુસીરભાઈ કાસમભાઈ માજોઠી અબદુલભાઇ નાલ બંધ હાજી રજાક ઘોડી બાસીતભાઈ પાનવાલા ઈમરાનભાઈ સમા ઈમરાનભાઈ ગરાના બસીર બાપુ સૈયદ લતીફ ભાઈ મુલલા વિગેરે 24 જમાતો ના પ્રમુખો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત તમામ આગેવાનોને ગેરહાજરીની નોંધ લેવાઈ
  જીમાં યોજાયેલા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના સમાજલક્ષી બિન રાજકીય કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય સહિતના કોંગ્રેસના તમામ આગેવાનો ગેરહાજર રહ્યા હતા તે બાબતને મુસ્લિમ સમાજમાં નોંધ લેવાઇ હતી

(6:22 pm IST)