Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જુનાગઢ સ્વામિનારાયણ મંદિર-શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અભય ભારદ્વાજના કોરોના મુકિત માટે પ્રાર્થના

જુનાગઢ ઁ બ્રહ્મણે નમઃ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો રૂદ્રા અભિષેક ભાજપા રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના કોરોના મુકત સ્વસ્થ સ્વાસ્થ્ય હેતુ કરેલ છે. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ છેલભાઇ જોષી દ્વારા મંદિરના ચેરમેન સ્વામી દેવનંદનદાસજી, પી.પી. સ્વામી, કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, દ્વારકા કોઠારી સ્વામી માધવસ્વરૂપદાસજી વતી મુકત સ્વરૂપદાસજી, પૂજારી સ્વામી કે.પી. સ્વામી, આદિક સંતો ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડ, બ્રહ્મસમાજ, મંદિરના ગોર રમેશભાઇ ત્રિવેદી ને છેલભાઇ જોષી દ્વારા પ્રાર્થના કરાઇ હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:02 pm IST)