Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કેશોદમાં સખી મંડળની ૩ બહેનોને પ્રમાણપત્ર અર્પણ

કેશોદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ ભાઈ મોદીના જન્મદીન પ્રસંગે ઈ લોન્ચીંગથી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે થઈ વડા પ્રધાન ના જન્મદીન પ્રસંગે મહિલા આત્મનિર્ભર યોજના હેઠળ રૂ ૨૯ કરોડની સહાય યોજનાની સરકારે જાહેરાત કરી છે તે યોજના નીચે મહિલાઓને ગૃહ ઉધોગ માટે તથા સખી મંડળની બહેનોને સ્વનિર્ભર બનવા માટેની સહાય કરવામાં આવશે. આ પ્રસંગે સખી મંડળની ત્રણ બહેનોને સારી કામગીરી અંગેના પ્રમાણ પત્ર અપાયા હતા. કાર્યકમ દરમિયાન બે બાળાઓએ કેન્દ્ર સરકાર દ્વારા અપાતી મહિલાઓને સહાય અને વડાપ્રધાન ની દિકરી બચાવો દિકરી પઢાવો વિષે બોલી નરેન્દ્રભાઇ મોદીની માતૃત્વ શકિતના વિચારને બિરદાવી તેમને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : સંજય દેવાણી -કેશોદ)

(11:32 am IST)