Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જામજોપુરમાં વડાપ્રધાનના જન્મદિવસે સફાઇ અભિયાન

(દર્શન મકવાણા જામજોધપુર) ગુજરાત નાં પનોતા પુત્ર, ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં જન્મદિવસ પર સેવા સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત જામજોધપુર ભાજપ દ્વારા સેવા સપ્તાહ ઇન્ચાર્જ જયેશભાઇ રાબડીયાની આગેવાની માં વોર્ડ નં.-૪માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ  અભિયાનમાં રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયા,  વાસ્મો ડિરેકટર અમુભાઈ વૈશ્નાણી, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, નગરપાલિકા  પ્રમુખ મમતાબેન શિહોરા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર ,પૂર્વ ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા,  ન.પા. શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પાબેન રાબડીયા, ન.પા. બાંધકામ સમિતિ ચેરમેન. ગીરીશભાઈ ખાંટ, તેમજ ન.પા. સદસ્ય, હોદેદારો, પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:27 am IST)