Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જસદણ આલણસાગર તળાવમાં સેલ્ફીનો ભારે ક્રેઝ

(હુસામુદીન કપાસ દ્વારા) જસદણ, તા., ૧૯: બાખલવડ ગામે ઇસ્વીસન ૧૯૦૦ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખાચર બાપુએ નિર્માણ કરેલ તળાવ પર મેઘમહેર થતા છેલ્લા ર૦ દિવસથી સતત ઓવરફલો થવાથી આ નજારો માણવા અને ખાસ કરીને ન્હાવાનો આનંદ લેવા માટે સ્થાનીક અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રવાસીઓનો ઘસારો દરરોજ રહે છે. રવિવારે તો લોકો પોતપોતાના વાહનો લઇને અહી ઉમટી પડી રહયા હોય છે. પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ આનંદ માણવાને બદલે પોતાનો મોબાઇલ લઇને સેલ્ફી પાડી રહયા હોય છે. સેલ્ફીની ઘેલછા એટલી હદે હોય છે કે ન્હાતા સમયે પણ તેમની પાસે મોબાઇલ હોય છે એ અલગ વાત છે કે કેટલાક યુવા હૈયાઓ તો ઘેર આવી મોબાઇલ માં ફોટાઓ જોઇ કહે છેકે આપણે આ દ્રશ્ય ન જોયુ જે ફોટાઓમાં છે.

(11:26 am IST)