Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દેવભૂમિદ્વારકા જીલ્લાનેપોષણના અભાવથી મુકત કરવા નયારા એનર્જીના પ્રોજેકટ તુષ્ટિનો ગુજરાત સરકારના સહયોગથી પ્રારંભ

જામનગર,તા.૧૯:ગાંધીનગર સુસંકલિત ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ આજે પ્રોજેકટ તુષ્ટિના પ્રારંભની જાહેરાત કરી છે, સમુદાયો પ્રત્યે કંપનીની નિષ્ઠાને આગળ ધપાવતા આ પ્રોજેકટનો ઉદ્દેશ દેવભૂમિ દ્વારકા જીલ્લાને પોષણના અભાવથી મુકત કરવાનો છે. આ ઝુંબેશનો ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગરમાં પ્રારંભ કરાયો છે.

કંપની આ વિસ્તારમાં દેશના બીજા નંબરના સૌથી મોટાસીંગલ સાઈટ રિફાઈનરી પ્રોજેકટનુસંચાલન કરે છે અને આ વિસ્તારમાં આરોગ્ય તથા પોષણ તેમજ શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કેટલાક સાતત્યપૂર્ણ વિકાસ કાર્યક્રમો હાથ ધરીને સમુદાયોના જીવનની ગુણવત્ત્।ામાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. વર્ષ ૨૦૧૯ના  વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નયારા એનર્જી અને ગુજરાત સરકારે આ વિસ્તારના એકંદર વિકાસમાં યોગદાન માટે દેવભૂમિ દ્વારકા જીલ્લાને પોષણના અભાવથી મુકત કરવા માટેહાથ મિલાવ્યા હતા. .

વાડીનારમાં રિફાઈનરીનો પાયો નાખ્યો ત્યારથી દેવભૂમિ દ્વારકા નયારા એનર્જીના અસ્તિત્વની આધારશિલા છે. પ્રોજેકટ તુષ્ટિનો ઉદ્દેશ દેવભૂમિ દ્વારકામાં પોષણના સ્તરમાં સુધારો કરીને આ વિસ્તારના એકંદર વિકાસમાં યોગદાન આપવાનો છે.

નયારા એનર્જી તેના અમલીકરણના ભાગીદારો જેએસઆઈ, આર એન્ડ ટી ઈન્ડીયા ફાઉન્ડેશન અને ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ-ગાંધીનગર (IIPHG) સાથે મળીને સુસંકલિત બાલ વિકાસ સર્વિસીસ સ્કીમ (ICDS) અને મહીલા અને બાલ કલ્યાણ વિભાગ (DWCD) સાથે દ્યનિષ્ઠપણે કામગીરી કરશે. પ્રોજેકટ તુષ્ટિ હેલ્થ અને વેલનેસ સેન્ટર્સ સાથે સમન્વય કરીને ટેકનોલોજી તથા નવા યુગની વિતરણ વ્યવસ્થા મારફતે જીલ્લાના પોષણ નિર્દેશકો મજબૂત બનાવશે.

(3:40 pm IST)