Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દામનગરમાં રવિવારે પરમાર પરિવાર દ્વારા સત્સંગ સભા

દામનગર,તા.૧૯:'જેને સતસંગ મળ્યો છે તેના પુણ્ય નો પારાવાર નથી' અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે હું જેવો સતસંગથી વશ થાવ તેવો બીજા કઈ પણ સાધન થી વશ થતો નથી આથી દામનગરના અરજણબાપા પરમાર પરિવાર તરફથી એક સતસંગ સભાનું આયોજન થયેલ છે

આગામી તા૨૨ને રવિવારે  પટેલ વાડી દામનગર ખાતે રાત્રી ના ૮-૩૦ કલાકે ભાવનગર બી એ પી એસ મંદિરના મહંત  સોમપ્રકાશદાસજી સ્વામી ના મુખે એમની આગવી શેંલી માં રામ ચરિત્ માનસ આધારિત પારીવારીક એકતા વિષયે સુમધુર કંઠે સતસંગ કથા વાર્તાનો લાભ મળશે સર્વે ધર્મ પ્રેમી જનતા ને લાભ લેવા પરમાર પરિવારનો અનુરોધ છે

આ  અ.ની.કાંતિલાલ એ પરમાર દેહદાતા શ્રી ની તૃતીય પુણ્ય સ્મૃતિ પર્વે એ સુંદર ધર્મ સતસંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ગઢડા સ્વામીના ખાતે થી બી એ પી એસ મંદિર ના વરિષ્ઠ સંતો વૃંદ પધારશે

(12:29 pm IST)