Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પુત્રવધૂ સાથે ચડભડ થતાં અગ્નિસ્નાન કરનારા જેતપુરના મધુબેન પરમારનું મોત

પુત્રવધૂ સંતાનોને શ્રાધ્ધમાં મોરબી સાથે લઇ જવા ઇચ્છતા'તાઃ ભણતર ન બગડે એ માટે સાસુએ ના પાડતાં માથાકુટ થઇ'તીઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: જેતપુરમાં ધોરાજી રોડ પર જાગૃતિનગરમાં રહેતાં મધુબેન મુકેશભાઇ પરમાર (ઉ.૪૭) નામના રજપૂત મહિલાએ ગઇકાલે અગ્નિસ્નાન કરી લેતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં જેતપુર પોલીસે રાજકોટ આવી  જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મધુબેનના પુત્રવધૂ પૂજાબેનને શ્રાધ્ધ નિમીતે માવતરે મોરબી જવું હતું. તેણીને પોતાની સાથે દિકરા-દિકરીને પણ લઇ જવા હતાં. પરંતુ સાસુ મધુબેને સંતાનોનું ભણતર બગડશે તેમ કહી તેને જેતપુર જ રાખી જવા કહેતાં તે બાબતે બંને વચ્ચે ચડભડ થઇ હતી. એ પછી મધુબેનને માઠુ લાગતાં તેમણે અગ્નિસ્નાન કરી લીધું હતું.  મૃતકના પતિ દરજી કામ કરે છે.

(11:46 am IST)