Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આડા સંબંધ ધરાવતાં મોરબીના આનંદનાથને સાળા-સસરા સહિતે ધોકા-પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૯: મોરબી પાનેલી રોડ પર મચ્છુનગરમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં આનંદનાથ દેવનાથ આમરોલીયા (ઉ.૨૮) નામના બાવાજી યુવાનને તેના સાળા, સસરા સહિતે ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

આનંદનનાથના કહેવા મુજબ તે પરિણીત અને બે સંતાનનો પિતા છે. તેને અન્ય એક પરિણીતા સાથે લફરૂ થઇ ગયું હતું. આ બાબતે સાળા-સસરાને ખાર હોઇ વાતચીત કરવા બોલાવતાં માથાકુટ થતાં પોતે રવાના થઇ ગયો હતો. રસ્તામાં આંતરી સસરા, સાળા અને તેના સગા અજયનાથ લકુનાથ સહિતનાએ ધોકા-પાઇપથી માર માર્યો હતો. બાદમાં રિક્ષામાં નાંખી ઘર પાસે લઇ જઇ ફરીથી મારકુટ કરી હતી.

(11:45 am IST)