Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભાણવડના કલ્‍યાણપુરમાં ખીમાભાઇ આહીરે ઝેરી દવા પી લેતા મોત

માનસીક ટેન્‍શનના કારણે પગલું ભર્યાનું ખુલ્‍યું

રાજકોટ તા ૧૯ : ભાણવડના કલ્‍યાણપુરમાં રહેતા આહીર પ્રોૈઢ માનસીક કેન્‍શનના કારણે ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજયું છે.

મળની વિગત મુજબ કલ્‍યાણપુરમાં રહેતા ખીમાભાઇ દેવશીભાઇ કરંગીયા (ઉ.વ.૫૦) એ ગઇકાલે પોતાના ઘરે ઘંઉમાં નાખવાની ઝેરી ટીકડી પી જતા તેને સારવાર માટે રાજકોટની સ્‍ટર્લીગ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા, ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસમથકના પીએસઆઇ રબારી તથા રાઇટર મહિપાલસિંહે પ્રાથમીક કાગળો કરી ભાણવડ મોકલ્‍યા છે. મૃતક ખીમાભાઇ ખેતી કરતા હતા. તેણે માનસીક ટેન્‍શનના કારણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

(12:49 pm IST)