Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બળધોઇની સીમમાં વીજશોક લાગતા પી.જી.વી.એલ.ના કર્મી. સંજયભાઇનું મોત

જસદણ તા. ૧૯: બળધોળ ગામ પાસે સીમમાં વીજકરંટ લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સરધાર ગામે પી.જી.વી.એલ.માં ફરજ બજાવતાં અને ગોંડલના બ્રાંદ્રા ગામમાં રહેતા સંજયભાઇ ભીખાભાઇ મકવાણા (ઉ.વ. ૩૭) ગલઇકાલે જસદણના બળધોઇ ગામની સીમમાં શોટ લાગતાં તેનું મોત થયું હતું. બનાવ બનતા સહકર્મચારીઓ એકઠા થઇ ગયા હતા. બાદ તેના મૃતદેહને જસદણ સરકારી હોસ્‍પિટલમાં પી.એમ. માટે લાવવામાં આવતા બહોળી સંખ્‍યામાં વીજ કર્મચારીએ એકત્ર થયાં હતાં. આ બનાવ અંગે આટકોટ પોલીસ મથકના એ.એસ.આઇ. ધર્મિષ્‍ઠાબેન તપાસ ચલાવી રહ્યાં છે.

(12:47 pm IST)