Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વાંકાનેર બસ સ્‍ટેશન પાસે મુકેશે એસિડ પીધું

બેલાગામમાં ઝારખંડની નવોઢા કમલા દાઝીઃ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૯: વાંકાનેરમાં આંબેડકરનગર-૧માં રહેતાં મુકેશ શરદભાઇ ચોૈહાણ (ઉ.૨૮) નામના બાવાજી યુવાને નવા બસ સ્‍ટેશન પાસે એસિડ પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મુકેશ ત્રણ ભાઇમાં મોટો અને કુંવારો છે. તેને માનસિક બિમારી હોઇ તેના કારણે ઘરેથી નીકળી ગઇ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના  એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વાંકાનેર જાણ કરી હતી.

બીજા બનાવમાં મોરબીના બેલાગામે સનબ્રાઇટ નામની સિરામીક કંપની પાસે રહેતાં અને ફેક્‍ટરીમાં મજૂરી કરતાં ઝારખંડના સન્‍ની બોઘરાની પત્‍નિ કમલા (ઉ.૧૯) સાંજે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા છે. સ્‍ટવ પર રસોઇ બનાવતી વખતે ભડકો થતાં દાઝી ગયાનું તેના પતિ સન્‍ની ઘનશ્‍યામભાઇએ જણાવ્‍યું હતું. આ અંગે હોસ્‍પિટલ ચોકીના થોભણભાઇ અને દિપસિંહે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

વઢવાણના ચમારજમાં કોળી વૃધ્‍ધા રામુબેન દાઝ્‍યા

વઢવાણના ચમારજ ગામે રહેતાં રામુબેન દેવજીભાઇ વેગડ (ઉ.૬૦) નામના કોળી વૃધ્‍ધા પાણી ગરમ કરતી વખતે સ્‍ટવમાં ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે.

(12:46 pm IST)