Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગાંધીધામના યુવકનું ગણેશ વિસર્જન કરી પરત ફરતી વેળાએ ટ્રેકટરમાંથી પડી જતા મોત

ભુજ તા. ૧૯ : કંડલાના દરિયામાં ગણેશ વિસર્જન કરીને પરત ફરતી વેળાએ ગાંધીધામના યુવાનનું મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્‍યું છે. ગઈકાલે સાંજે ગણેશ વિસર્જન કરીને ટ્રેકટરમા પરત ફરતી વેળાએ અકસ્‍માત પડી જતા પવનકુમાર બાબુલાલ મોચી (ઉ. ૨૭)ને માથામા ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્‍કાલિક દવાખાને લઈ જવાયો હતો પણ સારવાર મળે તે પહેલાંજ હતભાગી યુવાનનું મોત નીપજયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)