Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કાલાવડ રામદેવજી મહારાજના ઉત્સવ નિમિતે લોકમેળાનો પ્રારંભ

કાલાવડ તા.૧૯:  કાલાવડથી ૮ કિ.મી. દૂર શ્રી રામદેવજી મહારાજના ઉત્સવ નિમિતે વોડીસાંગ (દેવપુર) રણુજા ખાતે યોજાતો લોકમેળો પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના હસ્તે ખુલ્લો મુકાયો છે.

આ કાર્યક્રમમાં જુના રણુજા મંદિરના ટ્રસ્ટી હરીભાઇ ભરવાડ, બટુકભાઇ ભરવાડ, તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઇ વીંગસીયા, ભાજપના અગ્રણી હસુભાઇ વોરા, જીજ્ઞેશ મહેતા તેમજ વોડીસાંગ (દેવપુર)ના સરપંચ અને ગ્રામજનો હાજર રહયા હતા.(૧.૩)

(12:22 pm IST)