Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઉનાની આનંદગઢ ગુરૃકુળ દ્વારા કાલે ટીંબી સીમમાં જળ ઝીલણી મહોત્સવ

ઉના, તા. ૧૯: રોકડીયા હનુમાન મંદિરની સામે શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ આનંદગઢ દ્વારા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની સીમમાં છાણાવાકીયા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિરના સંકુલ સવારે ૯ કલાકે પવિત્ર રૃપેણ નદીના કાંઠે ભાદરવા સુદ-૧૧ને ગુરૃવારે તા. ર૦ના રોજ જળ જીલણી અગીયારનો મહોત્સવ ઉજવાશે. રાજકોટ તથા સુરત ગુરૃકુળથી સંતો પધારશે. શણગારેલી હોડીમાં સ્વામિનારાયણ ભગવાન (ઠાકોર)ને બેસાડી જળવિહાર કરાવી જળ અભિષેક કરી જળ ઝીલણીશે ત્યારબાદ આરતી અને સત્સંગ યોજાશે. ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે. આ મહોત્સવમાં ઉના શહેર, તાલુકા, રાજુલા, જાફરબાદ, કોડીનાર, ગીરગઢડા, ખાંભા તાલુકાના ૧૦૦થી વધુ ગામના હરિભકતો પધારી જળ ઝીલણી અગીયારની ભવ્ય ઉજવણી કરશે. તમામ હરિભકતોને પધારવા સ્વામી હરિવદનદાસ સ્વામીએ જાહેર નિમંત્રણ એક યાદીમાં આપેલ છે. (૮.૪)

(12:19 pm IST)