Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આત્મા પ્રોજેકટ ગીરસોમનાથ દ્વારા કોડીનારના વિઠ્ઠલપુર ગામે કિસાનગોષ્ઠિ

કોડીનાર તા.૧૮ઃ તાલુકાના વિઠ્ઠલપુર ગામે આત્મા પ્રોજેકટ ગીરસોમનાથ દ્વારા કિસાન ગોષ્ઠીનું  આયોજન કરવામા આવ્યુ હતું. આ કિસાનગોષ્ઠિમાં આત્મા પ્રોજેકટ વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. સાથે ખેતીના વિવિધ પાકોવિશેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ખેતીના વિવિધ પાકોમાં આવતા રોગ-જીવાત વિશેષ પણ માહિતી આપવામા આવી હતી. પાકોનું  વાવેતર કરતા પહેલા જમીનનુ પૃથકરણ કરાવવુ અને પૃથકરણના રીપોર્ટ મુજબ ખાતરો આપવાની ભલામણો કરવામા આવી હતી.આ કિસાન ગોષ્ઠીમાં આત્મા પ્રોજેકટ ગીરસોમનાથના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર શ્રી સંદિપભાઇ પરમાર, હીરેનભાઇ ડેર તથા કોડીનાર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી હરીભાઇ બારડ તેમજ કૃષિવિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વિષયનિષ્ણાંત રમેશભાઇ રાઠોડ તથા જી.એન.એફ.સી. ડેપોના મેનેજર મનનભાઇ પંચાલ તથા કોડીનાર તલાુકાના વિસ્તરણ અધિકારી શ્રી શૈલેષભાઇ બલદાણીયા દ્વારા ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

કિસાન ગોષ્ઠિ વિઠ્ઠલપુરના સરપંચશ્રી પ્રતાપભાઇ તથા માજી સરપંચ ભીખાભાઇ તેમજ પધારેલા દરેક ખેડૂતભાઇઓનો આત્મા પ્રોજેકટના એ.ટી.એમ.શ્રી મનુભાઇ ચાવડા દ્વારા આભાર વ્યકત કરાયો હતો.(૧૧.૬)

 

(12:17 pm IST)