Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પ્રભાસ પાટણમાં ૧ર ગણપતિનું વિસર્જન:.

. પ્રભાસ પાટણ: પ્રભાસ-પાટણ-સોમનાથમાં ગઇકાલે મોટાકોળીવાડા, વાલ્મીકી સમાજ અને શાંતિનગર વિસ્તારમાંથી ૧ર ગણપતિનું વિસર્જન કરવામાં આવેલ છે. પ્રભાસ પાટણથી ત્રિવેદી સંગમ સુધી બેન્ડ વાજાની રમઝટ અને અંબિલ ગુલાલ સાથે ગણપતિબાપા મોરીયાનાં નારા સાથે વિશાળ વિસર્જન યાત્રા નિકળેલ હતી જે ત્રિવેણી સંગમની બાજુમાં મહાકાળી મંદિરને અડીને આ ગણપતિને વિસર્જન કરવામાં આવેલ. જેથી ત્રિવેણી સંગમનાં પાણીમાં પ્રદુષણ ન ફેલાય આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો અને બાળકો જોડાયા હતાં. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ) (પ-૮)

(12:34 pm IST)