Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ચામુંડાધામમાં કાઠી રાજવીઓએ ઉજવ્યો ઐતિહાસિક અવસર

રાજ પરિવારોની ઉપસ્થિતિમાં કાઠીઓનો ઇતિહાસ પુસ્તકનું લોકાર્પણઃ કર્નલ વોટ્સનનાં હસ્તપ્રતને ૧૩૫ વર્ષે પુસ્તક રૂપ મળ્યું

વઢવાણ-ચોટીલા, તા.૧૯: ચામુંડાધામ ચોટીલા ખાતેઙ્ગ હસ્તપત્ર ઉપર થી આકાર પામેલઙ્ગ પુસ્તકનો ઐતિહાસિક વિમોચન સમારોહ સૌરાષ્ટ્રનાં અનેક રાજવીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.

ઐતિહાસિક મહત્વ ધરાવતા આ પુસ્તકની નોંધનીય વાત એ છે કે બ્રિટીશ હકુમત સમયે રાજકોટ એજન્સીની કોઠીમાં પોલીટીકલ એજન્ટનાં હોદ્દા ઉપર કર્નલ જે. ડબલ્યુ વોટ્સન હતા જેઓ ૩૫ વર્ષ જેટલો સમય ભારતનાં જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવેલ છેલ્લો સમય સૌરાષ્ટ્રમાં રહેલ અને રાજકોટ ખાતે જ અવસાન પામેલ હતા.

આ કર્નલે તે સમયે કાઠીવાડનાં કાઠી દરબારોની ભાતીગળ સાંસ્કૃતિક પરંપરા અને કાઠીઓનાં મુળ વંશાવળી સહિતની માહિતીઓ ૧૮૮૧માં લખેલ પરંતુ તે પ્રસિદ્ઘ કરી શકેલ નહોતા તેમનું અકાળે અવસાન થયેલ અને તેમના હસ્તપ્રતો બગસરા દરબાર સ્વ.મેરામવાળા એ જતન પુર્વક સાચવેલ હતા જેનું ઇતિહાસકાર ડો. પ્રદ્યુમનભાઇ ખાચરે સુપેર સંપાદન કરી ગ્રંથનો આકાર આપેલ જેના વિમોચનનો અવસર ચોટીલાના આંગણે દાદાબાપુ ખાચર રાજ પરિવારે ઉજવેલ.ઙ્ગ

કાઠીઓના ઇતિહાસ ઇન્ડીયા ટુડેનાં ઉપતંત્રી જાણીતા લેખક પત્રકાર ઉદયસિંહ માહુરકરનાં હસ્તેઙ્ગ ચોટીલા નાં આંગણે વિમોચન સાથે લોકાર્પણ કરી કર્નલ વોટ્સન અને બગસરા સ્ટેટને અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે રાજકોટના માંધાતાસિંહ જાડેજા,જસદણનાં સત્યજીતભાઇ ખાચર, ચુડા ઠાકોર ફાલ્ગુનસિંહ, ઇતિહાસકાર એસ. વી જાની સંપાદક લેખક ડો. પ્રદ્યુમનભાઇ સહિત સૌરાષ્ટ્રનાં અનેક રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક મહાનુભાવોએ પ્રસંગોચીત પ્રવચનો આપેલ પ્રશસ્તી લખવી સરળ છે પરંતુ ઇતિહાસ લખવો કઠીન છે આવનારીઙ્ગ પેઢી કાઠી ઇતિહાસથી આ પુસ્તક દ્વારા પરિચિત થશે તેવો અહોભાવ વ્યકત કરેલ હતો.

(1:12 pm IST)