Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

મેંદરડામાં સ્વાતંત્ર્યપર્વ નિમિતે ત્રિરંગાયાત્રા નિકળી

મેંદરડા : ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મનમંદિર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા પટેલ સમાજની વિર ભગતસિંહ ચોક સુધી ત્રિરંગા સાથે બાઇક રેલીનું આયોજન કરેલ. રેલીમાં બાબા સાહેબ આંબેડકર અને વીર ભગતસિંહની પ્રતિમાને હારતોરા કરી ઉપસ્થિત પ્રજાજનોનું મીઠા મોઢા કરાવેલ તેમજ ત્રિરંગાનું વિતરણ કરેલ.આ ઉપરાંત તાલુકા કક્ષાનું પ્રજાસતાકપર્વ નાનલપુરા પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવેલ. જેમાં મામલતદાર તેમજ નાયબ કલેકટર જે.સી.દલાલ, પીએસઆઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ગૌતમ શેઠ, મેંદરડા)

(12:12 pm IST)