Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કલ્યાણપુરના યુવાનનુ વીજથાંભલા પરથી પટકાતા મોત

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ટંકારિયામાં રહેતા રમેશ કરશનભાઇ જમોડ નામના ર૦ વર્ષનો કોળી યુાન ૬૬ કેવીના વીજથાંભલા પર કામ કરતો હતો ત્યારે થાંભલો પડી જવાથી તે દબાઇ ગયો હતો અને સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતુ. મૃતક યુવાનના  મોટાભાઇ  રાજુભાઇ જમોડે પીજીવીસીએલના થાંભલા ઉભા કરવાના કોન્ટ્રાકટર મશરીભાઇ જગાભાઇ સામે બેદરકારીના આરોપસર ફરિયાદ નોંધાવી છે.

કોન્ટ્રાકટરે થાંભલો ખોડવામાં નિયમનું પાલન કર્યુ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. થાંભલો માત્ર દોઢ ફુટની ઉંડાઇથી  ખોદીને મુકવામાં આવ્યો હોવાથી તેના ઉપર ચડીને  કામ કરનાર અકસ્માતનો ભોગ બન્યો છે.

(1:03 pm IST)