Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ચોટીલામાંથી યુવતીને ભગાડી જનાર શિક્ષક ધવલ ત્રિવેદીને ઝડપી લેવા મોરબી-ભાવનગરમાં તપાસ

વઢવાણ, તા., ૧૮: ચોટીલામાંથી યુવતીને ભગાડી જનાર શિક્ષક ધવલ ત્રિવેદીને પકડવા માટે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મન્નિદસિંહ પવાર નાનેજા હેઠળ ડીવાયએસપી પી.જી. જાડેજા સહીતના કાબેલીયત પોલીસ ઓફીસરોની નિગેબાની હેઠળ ચાર પોલીસ ટુકડીઓની રચના કરી ચારેય દિશાઓમાં લંપટ શિક્ષકને ઝડપવા માટેના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. ત્યારે દરેક લોકોના પણ આ મામલામાં આ વ્યકિત જોવા જાણવા મળેે તો પોલીસ તંત્ર અને નજીકના પોલીસ મથકોમાં જાણકારી આપવા માટેની અપીલ કરવામાં આવેલ છે.

ત્યારે આ લંપટ શિક્ષક મોરબી અને ભાવનગર આંગડીયા પેઢીઓમાં સંપર્ક કરવામાં આવ્યા છે. જયા પણ પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને તપાસનો દોર મોરબી-ભાવનગર સહીત જિલ્લાઓમાં તપાસ હાલમાં હાથ ધરવામાં આવેલ છે.

લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને પકડવા માટે અલગ-અલગ દિશાઓમાં પોલીસની ચાર-ચાર ટીમો કામે લગાડવામાં આવેલ છે. ચાર ટીમોમાં એસઓજીના એસ.બી.સોલંકી, પરલો ફલો સ્કવોડના એ.એ.જાડેજા, ટેકનીકલ સેલના અનિલ નાયર જયદીપ રાવલ, ચોટીલા પીઆઇ પી.ડી.પરમાર સહીત ટીમો હાલમાં કામે લગાડાઇ છે.

આ શિક્ષક જોવા મળે તો આ પોલીસ તંત્રના નંબર ઉપર જાણકારી આપવા અપીલ કરવામાં આવેલ છે. પી.જી.જાડેજા, ડીવાયએસપી ૦૯૮રપર ૧પ૬૮ર, પી.ડી.પરમાર ચોટીલા પોલીસ ઇન્સપેકટર ૦૭૯૯૦ ૪૪પ૦ર૭, પોલીસ કંટ્રોલરૂમ સુરેન્દ્રનગર ૦ર૭પર ર૮ર૪પર ચોટીલા પોલીસ સ્ટેશન ૦ર૭પ૧ ર૮૦૩૨૩ ઉપર જાણકારી આપવા અપીલ કરવામાં આવેલ છે. (૪.૬)

(2:25 pm IST)