Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

નાની વાવડીમાં કાલે ભજન સંતવાણી

મર્હુમ હુસેનબાપુ અને સ્વ. મોહનબાપાના સ્મરણાર્થે

રાજકોટ તા. ૧૯ : કોમી એકતાના પ્રતિક એવા મર્હુમ હુશેન બાપુ તથા સ્વ. મોહનબાપા ના સ્મરણાર્થે તેમજ સમસ્ત નાની વાવડી ગામની ગૌશાળાના લાભાર્થે ગામની ભજન પ્રેમી જનતાએ શ્રધ્ધાંજલી સાથે સ્વરાંજલી અર્પિત કરવા કાલે ભજન સંતવાણીનું આયોજન કરેલ છે. જેમા હર્ષદગીરી ગૌસ્વામી, બેબી મિતલ, મીનાબા જાડેજા, દિવ્યેશગીરી ગૌસ્વામી , નિરવ રામાનુજ, રામ-લખન તથા અન્ય કલાકારો ભજન સંતવાણી પીરસશે. સ્થળઃ- લેઉવા પટેલ સમાજ , નાની વાવડી. તા. કાલાવડ સર્વે મિત્ર મંડળ, નાની વાવડી ગ્રામજનો તથા શાહમદાર પરિવારે ધર્મપ્રેમીજનોને પધારવા અનુરોધ કરેલ છે. શુભમ સાઉન્ડ અને શુભમ સ્ટુડિયોની યુ ટ્યુબ ચેનલ પર કાર્યક્રમ લાઇવ નિહાળી શકાશે.

(11:40 am IST)