Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ભાવનગરમાં ખોડિયાર માતાજીના મંદિરનું બાંધકામ હટાવતા મહિલા જેસીબી ઉપર બેસી ગઇ

પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે

ભાવનગર તા.૧૯:- ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ કુંભારવાડા તરફ જવાના માર્ગ પર આર.સી.સી. રોડ બન્યા બાદ સ્થાનિક લોકો દ્વારા રોડની બાજુમાં ખોડિયાર માતાજીના મંદિરનું બાંધકામ કર્યુ હતુ. આ બાબતની જાણ થતા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. અને મંદિર હટાવવાની કામગીરી હાથ ધરતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ડિમોલીશન કાર્યવાહીનો  વિરોધ કર્યો હતો.

સ્થાનિકોના વિરોધ વચ્ચે એક મહિલા જે.સી.બી. પર ચડી જતા વાતાવરણ તંગ બની ગયુ હતુ. જો કે પોલિસ તંત્ર હરકતમાં આવ્યા બાદ મહાનગરપાલિકાની ટીમે મંદિર તથા આજુબાજુના  એક આસામી દ્વારા ચણવામાં આવેલ ઓટલો તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

ડિમોલેશન કર્મચારીના પગલે સ્થાનિક વસાહતીઓ મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. અને મેયરને રજુઆત કરી હતી.

(11:27 am IST)