Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી તાલુકા ભાજપ દ્વારા મહેન્દ્રનગર અને ઓમ પાર્ટી પ્લોટમાં યોગ દિવસ ઉજવાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી સંયુક્ત રા્ષ્ટ્ર સંઘે 21 જુનને આતંરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે ૨૧ જુન નિમિતે મોરબીમાં તાલુકા ભાજપ દ્વારા બે સ્થળે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે
“યોગ ભગાવે રોગ” સુત્ર ને સાર્થક કરવા સાતમા વિશ્વ યોગ દિવસ-2021 ને ઊજવવા મોરબી તાલુકા ભાજપ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમા જુદી જુદી બે જગ્યાએ મર્યાદિત સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવામાં આવશે જેમાં મહેન્દ્રનગર નજીકના પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ જયતિંભાઇ કવાડીયા તેમજ ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા તેમજ ઓમ પાર્ટી પ્લોટ રવાપર ખાતે સાસંદ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં યોજાશે
આ બન્ને યોગાભ્યાસ કાર્યક્રમમા જોડાવવા ઇન્ચાર્જ જીજ્ઞેશભાઇ કૈલા, રવિભાઈ સનાવડા અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની યાદી જણાવે છે

(10:28 pm IST)