Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

નવયુગ સંકુલના ૧૬ માં વર્ષમાં પ્રવેશ નિમિતે સંકુલમાં ૧૬ છોડનું વાવેતર કરાયું

નવયુગ સંકુલના ૧૫ વર્ષ પૂર્ણ કરીને સોળમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આજે સંકુલ ખાતે ૧૬ છોડ યાદગીરી રૂપે વાવવામાં આવ્યા હતા અને લોકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવતો સંદેશ પણ આપ્યો હતો  
  છોડમા રણછોડ, વૃક્ષમાં ભગવાનનો વાસ હોય છે.  તેનો ઉછેર થવો જોઈએ.. નવા વૃક્ષોનું વાવેતર થાય, દરેક પરિવારના આંગનમાં એક વૃક્ષ તેમજ ઘરમાં વિવિધ ઓક્સિજન આપતા અને ઔષધીય છોડ હોવા જોઈએ. તેવા આશયથી નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા દ્વારા આ પ્રસંગને સમાજમાં યાદગીરીરૂપ સંદેશો પહોંચે તેવા હેતુસર વૃક્ષોનું જતન કરવા આહવાન કરેલ છે.

(10:12 pm IST)