Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પોરબંદરમાં બંધ મકાનમાંથી ૧.૪૩ લાખની ચોરી

વડોદરા ગયેલ પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : ભારતીય વિદ્યાલય પાસે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને ઘર તથા કબાટના તાળા તોડીને રૃા.૧,૪૩,૦૦૦ દાગીનાની ચોરી કરી ગયા હતા.

ભારતીય વિદ્યાલય પાસે રહેતા ગીતાબેન કિરીટભાઇ વાઘેલાએ ચોરી અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે તેના પતિ કિરીટભાઇ બીમાર હોય તેની સાથે મકાન બંધ કરીને વડોદરા ગયેલ અને પાછળથી બંધ મકાનમાં તસ્કરો ઘર અને કબાટના તાળા તોડીને કબાટમાં રાખેલ સોનાના ૯ તોલાના દાગીના કિ. રૃા.૧,૩૯,પ૦૦ તથા ચાંદીના દાગીના કિ. રૃા.૩પ૦૦ મળી કુલ ૧,૪૩,૦૦૦ના  દાગીનાની ચોરી કરી ગયા હતા. પોલીસે આ ચોરી અંગે તપાસ શરૃ કરી છે.

(1:27 pm IST)