Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ચોટીલા નજીક મીની બસ પલ્ટી જતા ૧૦ને ઇજાઃ ૩ ગંભીર

અમદાવાદથી દ્વારકા દર્શનાર્થે જતા વૈષ્ણવ વણીક પરિવારના ૧૬ સભ્યો જતા'તાઃ રોડ ઉપર રાહદારીને બચાવવા જતા અકસ્માત સર્જાયો

ચોટીલા, તા.૧૯ઃ ચોટીલા રાજકોટ હાઇવે ઉપર નાની મોલડી પાસે રાત્રીના એક વાગ્યા ના અરસામાં મીની બસ પલ્ટી ખાતા દોડધામ મચેલ હતી અને અડધો કંલાક ની જહેમત બાદ ૧૦ થી વધુ ઇજાગ્રસ્તો ચાર ૧૦૮ અને ખાનગી વાહાનો દ્વારાઙ્ગ હોસ્પિટલ ખસેડાયા હતા.

દૂર્ઘટના ની પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રીના અમદાવાદ થી દ્વારકા દર્શનાર્થે જવા વૈષ્ણવ વણીક પરિવારના ૧૬ લોકો નિકળેલ મોડી રાત્રીના મીની બસ નોર્મલ સ્પીડમાં હતી એકાદ વાગ્યાની અરસામાં નાની મોલડી નજીક કોઇ અજાણી વ્યકિત હાઇવે પર આડી ઉતરતા ચાલકે તેને બચાવવા બ્રેક મારતા બસ પલ્ટી ખાઈ જતા દૂર્ઘટના ઘટી છે.

અકસ્માત ની જાણ થતા પસાર થતા વાહાનો અને નજીકના લોકો દોડી આવ્યા હતા અડધો કલાકની જહેમત બાદ ફસાયેલા ઇજાગ્રસ્તો ને બહાર કઢાયા હતા.

સ્થળ ઉપર ચોટીલા, થાનગઢ, કુવાડવા, વાંકાનેરની ૧૦૮ અને ખાનગી વાહાનો દોડી ગયેલ હતા. ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયેલ.

આ બનાવમાં રસ્તામાં આડા ઊતરેલ એક અજાણ્યો વ્યકિત અને અન્ય બે ને ગંભીર ઈજાઓ પહોચેલ છે.

તેમજ ઉષાબેન ઈન્દ્રવદન દોશી ઉ.વ. ૭૬, સાજનભાઇ ભરતભાઇ શાહ ઉ.વ.૨૭, અંકિતાબેન દર્શનભાઇ શાહ ઉ.વ.૪૪, રંજનબેન જે. શાહ ઉ.વ.૭૦, રાહીલભાઇ તુષારભાઇ દોશી ઉ.વ ૨૦,શલોની સંકેતકુમાર દોશી ઉ.વ ૨૦, જીતેન્દ્ર કુમાર માણેકલાલ દોશી ઉ.વ ૭૪, દર્શનભાઇ જીતેન્દ્રભાઈ શાહ ઉ.વ ૪૫, સંકેતભાઇ ઇન્દ્રવદન દોશી ઉ.વ ૫૩, વૃજ દર્શનકુમાર શાહ ઉ.વ ૧૮, જયેશભાઇ શાંતિલાલ પરમાર ઉ.વ ૪૭ને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

(11:57 am IST)