Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જુનાગઢમાં ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરાયું.

 જુનાગઢઃ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.  તેનાં અનુસંધાને જુન મહિનાનાં બીજા રવિવારે  દુબડી પ્લોટ, ગરબી ચોક, રામાપીરનાં મંદિર સામે   જરૂરિયાતમંદ ૫૦  કુટુંબોને ઘઉં, ચોખા, ખાંડ, નિમક(મીઠું), ચાની ભુકી, ચટણી, હળદર, ઘાણાજીરૂ, બાજરો, ચણા, ચોખાનાં પૌવા, કપડાં ધોવાનો અને ન્હાવાનો સાબુ, વગેરે આપવામાં આવ્યું હતું.

 આ અનાજ વિતરણનાં પ્રસંગે   કિશોરભાઈ ચોટલીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, મનિષભાઈ જોગીયા, રમીલાબેન ઘુચલા, નોમાબેન ઠાકર, ઈન્દુબેન ખાણદર, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.  આ અનાજ વિતરણનાં પ્રસંગે અલગ અલગ દાતાશ્રીઓનો સહકાર મળ્યો હતો. આ સેવાપ્રમુખ નરેન્દ્ર ઘુચલા અને કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(11:25 am IST)