Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ અને ભેસાણ, મેંદરડા, વિસાવદરમાં કેસ શૂન્ય

૨૪ કલાકમાં નવા કેસની સામે ૪૩ દર્દી ડિસ્ચાર્જ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ અને ભેસાણ, મેંદરડા તેમજ વિસાવદર કેસ શુન્ય થયા છે.

ગુજરાતની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર હળવી થઇ છે. ૨૪ કલાક દરમ્યાન જૂનાગઢના ૯ સહિત જિલ્લામાં કુલ ૨૧ કેસ નોંધાયા હતા.

તેમાંય ખાસ કરીને ભેસાણ, મેંદરડા અને વિસાવદરમાં એક પણ કેસની એન્ટ્રી થઇ ન હતી.

બીજી તરફ જૂનાગઢ સીટીમાં ૧૫, જૂનાગઢ ગ્રામ્ય -૩, કેશોદ-૮, માળીયા-૪, માણાવદર -૫, વિસાવદર -૩ અને માંગરોળનાં બે ઉપરાંત ભેસાણ, મેંદરડા અને વંથલીનાં એક -એક મળી જિલ્લામાં કુલ ૪૩ દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

રાહતની વાત એ છે કે શુક્રવારે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયુ ન હતું.

દરમ્યાન જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૧,૪૭૭ અને ગ્રામ્યમાં ૪,૮૮૧ મળી કુલ ૬,૩૫૮ લોકોનું વેકિસનેશન થયું હતું.

(10:36 am IST)