Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ભાવનગરમાં સાંજે ચીનના માલ-સામાનનો બહિષ્કાર

કોરોના ફેલાવનાર અને માનવતા વિરોધી ચીનને પાઠ ભણાવવા

ભાવનગર તા. ૧૯ :.. કોરોના ફેલાવનાર અને માનવતા વિરોધી ચીનને પાઠ ભણાવવા ભાવનગરમાં ચીનના માલ-સામાનનો બહિષ્કારનું એલાન કરવા સાથે વંદે માતરમ સેવા સંઘ દ્વારા ચીનના બેનરની હોળી કરાશે.

પૂર્વ નગરસેવક અને વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ કિશોરભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ફેલાવીને ચીને સમગ્ર વિશ્વમાં લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ચીન ગદાર અને માનવતા વિરોધી છે. ચીને સરહદ પર નિહથ્થા ભારતીય સેનાના જવાનો સાથે કાયરાના કૃત્ય આચર્યુ છે.

આથી આર્થિક બહિષ્કાર કરી ચીનને પાઠ ભણાવવો આવશ્યક હોઇ સાંજે પ વાગ્યે વંદે માતરમ સેવા સંઘ સહિતની સંસ્થાઓ દ્વારા ભાવનગરમાં શહીદ ભગતસિંહ ચોક (ઘોઘાગેટ) ખાતે ચીનના માલ-સામાનના બહિષ્કારનું એલાન કરાશે તેમજ ચીનના બેનરની હોળીનો કાર્યક્રમ અપાશે.

(11:26 am IST)