Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પોરબંદરમા જમીન મકાનના દલાલ દ્વારા આપઘાતનો પ્રયાસ

ધંધામાં મંદી તથા ખેતીમાં ઉપજ થતી ન હોય ટેન્શનમાં આવી જઇને પગલુ ભર્યું

પોરબંદર, તા. ૧૯ : જમીન મકાન લે-વેચની દલાલીનું કામ કરતા જગજીવનભાઇ જોશી (ઉ.વ.૪૭) રે. રામ પેટ્રોલીયમ પાછળ ઘેર પંખા સાથે દોરી બાંધીને આપઘાતનો પ્રયાસ કરતા બચી જતા તેમને ભાવસિંહજી સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે.

જમીન મકાનની દલાલીમાં મંદી તેમજ ખેતીમાં કોઇ ઉપર થતી ન હોય ટેન્શનમાં આવી જઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કમલાબાગ પોલીસ સ્ટેશનના એએસઆઇ વી.એલ. ગરચરે તપાસમાં ખૂલ્યું છે.

(1:10 pm IST)