Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મોરબી જિલ્લા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

જુનાગઢ મોરબી જિલ્લા રાજગોર બ્રાહ્મણ (કાઠી) જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ રાખવામાં આવેલ. મોરબી જ્ઞાતિ પરિવારના અગ્રણી શિવશંકરભાઈ શીલુ ને શ્રદ્ઘાંજલિરૂપે ૨ મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જીતુભાઈ એસ. દવે (પ્રમુખ), અનિલભાઈ એલ. મહેતા (મંત્રી), ધીરુભાઈ તેરૈયા (ખજાનચી), જયેશભાઈ મંડિર(ઉપપ્રમુખ), ગૌરવભાઈ રવિયા(સંગઠન મંત્રી), પ્રકાશભાઈ વેગડા, રાજેશભાઈ તેરૈયા, વિવેકભાઈ મંડિર, ચંદ્રેશભાઇ જોષી દ્વારા ઉદબોધન આપવામાં આવેલ. તથા જ્ઞાતિ પરિવારના મોભી એવા લાલજીભાઈ મંડિર અને હરિભાઈ તેરૈયા દ્વારા જ્ઞાતિને ને કઈ રીતે આગળ લઈ જવું તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા મંડળ દ્વારા પણ ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ હતી તે બદલ મહિલા પ્રમુખ વાસંતીબેન મહેતા, મંત્રી રેણુકાબેન મંડિર, દેવયાનીબેન જોશી ઉપપ્રમુખ દ્વારા મહિલા મંડળનો આભાર વ્યકત કરવામાં આવેલ. (અહેવાલ- વિનુ જોષી)

(11:36 am IST)