Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

લાઠી તાલુકાના અડતાલા ટોડાથી જરખિયાના રાજપરા પ્લોટ તરફ જવાના રસ્તે બ્રિજ અને માટી કામ કરાશે

સાવરકુંડલા તા. ૧૯: લાઠી તાલુકાના અડતાલા ટોડા રોડથી જરખિયા ગામના રાજપરા પ્લોટ તરફ જવાના રસ્તે પુલ અને માટીકામ પ૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે રાજય સરકાર દ્વારા મંજૂરી આપી વર્ક ઓર્ડર ઇશ્યુ કરતા લોકોમાં આનંદ છવાયો છે.

લાઠી તાલુકામાં અડતાલા ટોડાથી જરખિયાના રાજપરા પ્લોટ વિસ્તારમાં રોડ તેમજ બ્રિજ નો હોવાથી રાજપરના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી અહીંના લોકોને ટોડા જવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી અને ફરીફરીને જવું પડતું હતું.

ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તેમજ ઝરખીયા ગામના વતની રખયાલના ધારાસભ્ય પૂર્વ મંત્રી વલ્લભભાઇ કાકડીયાને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને યોગ્ય રજુઆત કરતા તાબડતોબ અહીં રોડ, બ્રિજ અને માટે કામ માટે રાજય સરકાર દ્વારા રૂપિયાની ફાળવણી કરી છે.

(11:28 am IST)