Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મોરબીના ત્રણ બાળમજુરોનો છુટકારો

મોરબી, તા. ૧૯ : મોરબી જીલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા મોરબીના નહેરૂ ગેઇટ વિસ્તારમાં બાળ શ્રમિક અટકાયત અંગેના અવેરનેશના ભાગરૂપે તપાસ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન વિવિધ દુકાનમાં કામ કરતા ત્રણ બાળ મજુરો મળી આવ્યા હતા જેને બાળ મજુરીમાંથી મુકત કરાવવામાં આવ્યા હતા અને બાળકોના વાલીઓને તેના શિક્ષણ અંગે જાગૃત કર્યા હતા.

જે કામગીરીમાં સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા એકમ અને શ્રમ અધિકારી ટીમો જોડાઈ હતી જેમાં અનીલાબેન પીપળીયા, સુનીલભાઈ રાઠોડ અને રંજનબેન મકવાણા સહિતના અધિકારીઓની ટીમે બાળમજુરોને મુકત કરાવ્યા હતા તમામ બાળ શ્રમિકોની ઉમર ૧૪ વર્ષથી ઉપર હોય જેથી દુકાનના સંચાલક સામે ફોજદારી કાર્યવાહી થઇ સકે તેમ ના હોવાથી બાળ શ્રમિકો ના રાખવા અંગે બાહેંધરી લેવામાં આવી હતી.

(11:22 am IST)