Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ધાંગધ્રામાં ધારાસભ્ય સામે નારાજગીના લીધે ઈદ મુબારક ના બેનરો ફાડી નખાયા

વઢવાણ તા. ૧૯ : ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના  ધારાસભ્ય જ્યારથી લોકોના મત લઇને ચુંટણી જીતી ગયા ત્યાર બાદ લોકોની વ્ચ્ચે આવતા લોકરોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના કોંગી ધારાસભ્ય પોતાના જ કોંગ્રેસી યુવા નેતાઓમા પણ રોષ ફાટી નીકળતા ધારાસભ્ય ગુમ થયાની પોષ્ટ વાઇરલ થઇ હતની. ત્યારે રમજાન ઈદના દિવસે ધ્રાંગધ્રાના કેટલાક વિસ્તારોમાં ધારાસભ્ય ના ફોટાવાળા ઈદ મુબારક ના બેનરો મરાયા હતા. શહેરના  કેટલાક કોંગ્રેસ મા માયોનિરીટી સેલ નો હો્દ્દો ધરાવનાર હોદ્દેદારોએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા  માટે આ બેનરો માર્યા હતા. પરંતુે ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નં૫ના અને ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખના પોતાના જ વોર્ડમા ધારાસભ્ય તથા શહેર પ્રમુખ સામે નારાજગી ના લીધે રમજાન ઈદની શુભેચ્છા આપતા આ બેેનર ને ફાડી નખાયુ હતુ  માહિતી મુજબ વોર્ડ નંબર ૫ના સુધરાઇસભ્ય તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તરફે પણ વોર્ડના રહિશો ની નારાજગી હોય જેથી આ બેનરે  ચિથરે-ચિથરા કરી નાખવામાં આવ્યા ત્યારે હજુ સુધી ધારાસભ્ય અને શહેર પ્રમુખ એમ બંન્નેમાંથી કોણ રહિશો ના રોષનું શિકાર બન્યુ તે બાબત ની જાણ થઇ શકી નથી. પરંતુ કોંગ્રેસ ની વોટ બેંક ગણાતા ધ્રાંગધ્રા વોર્ડ નંબર ૫ વિસ્તારમાં જ કોંગ્રસના ધારાસભ્ય સહિત આગેવાનોના બેનરો ફાટતા આગામી ચુંટણી માં કોંગ્રેસ ને ફટકો પડે તેવુ નક્કી છે.

(12:26 pm IST)