Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાવનગર :કાળા તળાવ વિસ્તારમાં કાળીયાર મૃત હાલતમાં મળ્યા :જંગલખાતા દ્વારા તપાસ

ભાવનગર :કાળા તળાવ વિસ્તારમાંથી પાંચ કાળીયાર મૃત હાલતમાં મળી આવ્યાના અહેવાલ મળે છે જંગલ ખાતાએ કાળિયારના મૃત અંગે તપાસ હાથ ધરી છે. કાળિયારના મોત કઈ રીતે થયા તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.
  અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના વેળાવદરમાં કાળિયાર નેશનલ પાર્ક પણ આવેલો છે. કાળિયાર એ સંરક્ષિત પ્રાણીની યાદીમાં આવે છે અને તેનો શિકાર કરવો સજાપાત્ર ગુનો છે. બોલિવૂડ સ્ટાર સલમાન ખાન રાજસ્થાનમાં કાળિયારના શિકારના કેસમાં જ પાંચ વર્ષની સજા પણ થઈ છે અને તે હાલમાં જામીન મુક્ત છે.

(8:59 pm IST)