Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પોરબંદર જેલના કેદીઓને કલેકટર દ્વારા માર્ગદર્શન

પોરબંદરઃ જિલ્લા કલેટર શ્રી અશોક શર્માએ પોરબંદર ખાસ જેલની મુલાકાત લઇને બંદીઓના સ્‍કીલ મેપિંગ, અભ્‍યાસ, સ્‍વરોજગાર અને રમત ગમત અને ધ્‍યાન-પ્રાર્થના અંગે વાર્તાલાપ કર્યો હતો અને જેલરશ્રી અને સ્‍ટાફ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવાની સાથે બંદીઓ સાથે મુકત સંવાદ કર્યો હતો. જેલમાં વાંચન, આત્‍મચિંતન અને પરિવાર સાથે પત્રલેખનને પ્રોત્‍સાહન આપવા સુચન કર્યુ હતું. બંદીઓના સ્‍કીલ મેપિંગ અભ્‍યાસ, સ્‍વરોજગાર અને રમત ગમત અને ધ્‍યાન-પ્રાર્થના અંગે વાર્તાલાપ કર્યો હતો જેલ માત્ર બંદીખાનુ ન બની રહેતા માર્ગ ભૂલેલા નાગરીકો માટે સુધારગૃહ બની રહે તેમજ કેદમાંથી છુટેલા ભાઇઓનું સામાજિક અને આર્થિક પુનઃસ્‍થાપન માટે પ્રયાસ કરવા માર્ગદર્શન આપ્‍યું હતું તે તસ્‍વીર

(1:05 pm IST)