Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન (ઈન્ડિયા) દ્વારા પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પીટલમાં 48 લિટરની કેપેસિટીના 20 ઓક્સીજન સિલિંડરનું અનુદાન

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર : રિઝવાન આડતીયા ફાઉન્ડેશન (ઈન્ડિયા) દ્વારા કોરોના કાળમાં સતત સેવાયજ્ઞ ચાલુ છે. રિઝવાન આડતીયા ફાઉન્ડેશન એ આતર રાષ્ટ્રીય સંસ્થા છે. જે ભારત સહિત આફ્રિકા અને એશિયાના 7 દેશોમાં કાર્યરત છે.

આજરોજ રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના એરિયા મેનેજર હેમલભાઈ તન્ના તથા તેમની ટીમ વગેરે એ ઉપસ્થિત રહી પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પીટલમાં જિલ્લા વહીવટીતંત્રની વિનંતી પર 48 લિટરની કેપેસિટીના 20 ઓક્સીજન સિલિંડર દર્દીઓની સારવાર માટે અધિક કલેક્ટરશ્રી એસ.ડી.ધાનાણી, ઇન્ચાર્જ સિવિલ સર્જનશ્રી ડો. દિવ્યાબેન ડાગા અને એડમીન હેડશ્રી ડો. ધર્મેશ પરમારને અર્પણ કર્યા હતા.

(11:10 pm IST)