Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડાના પગલે પાંચ તાલુકામાંથી દોઢ ડઝન સિંહનો કોઈ પત્તો મળતો નથી

રાજકોટ, તા.૧૯: મહાભયંકર વાવાઝોડાના પગલે ગીરના જંગલોમાંથી ૧૮ થી ૨૦ સિંહો ગુમ થયા છે. જેની કોઈ ભાળ મળતી નથી. સેંકડો બતકાના પણ મોત થતા પક્ષી પ્રેમીઓને મોટો આંચકો લાગ્યો છે. આ સિંહ રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર અને મહુવા પંથકમાંથી ગુમ થયા છે. આ વિસ્તારમાં ૪૦-૪૨ સિંહોનો વસવાટ છે. અન્ય વન્ય પશુઓના પણ મોત નિપજયાનો પક્ષી પ્રેમીઓમાં ભય સિવાય રહ્યો છે.

(1:05 pm IST)