Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભાવનગરમાં કોરોના થી ત્રણના મોત : ૧૫૨ કોરોના પોઝિટિવ કેસ : જ્યારે ૩૧૮ દર્દીઓ બન્યા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૦,૦૧૭ કેસો પૈકી ૩,૭૪૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૧૯ ભાવનગર જિલ્લામા વધુ ૧૫૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૦૧૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૫૨ પુરૂષ અને ૩૭ સ્ત્રી મળી કુલ ૮૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧, ઘોઘા તાલુકામાં ૪, તળાજા તાલુકામાં ૪૬, મહુવા તાલુકામાં ૩, સિહોર તાલુકાઓમાં ૫, ગારીયાધાર તાલુકામાં ૧ તેમજ જેસર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૬૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને પાલીતાણા તાલુકાનાં લુવારવાવ ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૧૬ અને તાલુકાઓમાં ૧૦૨ કેસ મળી કુલ ૩૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા  પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૦૧૭ કેસ પૈકી હાલ ૩,૭૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૬૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:28 am IST)