Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પોરબંદર : વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૨ પેપરની છુટ આપવા માગણી

પોરબંદર તા ૧૯ : વિજ્ઞાન પ્રવાહમાં પુરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ર પેપર ની છુટ આપવા બાબતે એનએસયુઆઇ ના પ્રમુખ કિશનભાઇ રાઠાડે જીલ્લા શિક્ષણાધીકારીને રજુઆત કરી છે

હાલમાં જે ધો.  ૧૨-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું તે પાછલા વર્ષોની સરખામણીએ ઓછુ આવેલ છે, જેના લલીધે ઘણા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જુલાઇમાં લેવાનારી પૂરક પરી્ક્ષામાં વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓના હિત માટે ૧ ના બદલે ર વિષયોની પરીક્ષા આપવાની છુટ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ નું એક અમૂલ્ય વર્ષ બચી શકેઙ્ગ તેમ રજુઆતમાં જણાવેલ છે.

(12:49 pm IST)