Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મીઠાપુરના ભીમરાના ગામમાં જુગાર રમતા નવ શખ્સોને દબોચી લેતી મીઠાપુર પોલીસ

મીઠાપુર, તા.૧૯: દેવભૂમિ દ્વારકા જીલ્લાના પો.અધી.શ્રી રોહન આનંદ સાહેબની સુચના મુજબ તથા મદદનીશ પો.અધી શ્રી પ્રંશાંત સુમ્બે સાહેબના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દારૂ તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે આવી પ્રવૃતિ કરતા ઇશમો ઉપર રેઇડ કરવા આપેલ સુચના અન્વયે મીઠાપુર પો.સ્ટે.ના I/C પો.ઇન્સ.શ્રી સી.બી.જાડેજા સાહેબની આગેવાનીમાં પો.હે.કોન્સ.કિશોરસિંહ રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહીરાજદાન મનહરદાન ગઢવીને અગાઉ ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ભીમરાના ગામ કૃષ્ણનગર સોસાયટી આંગણવાડીની સામે રહેતા બાલુભા સામતભા માણેક રહે. ભીમરાનાવાળો પોતાના રહેણાંક મકાને પોતાના અંગત ફાયદા સારું બહારથી માણસો બોલાવી સાધન સવલત પૂરી પાળી ગે.કા.રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે અન્વયે I/C  પો.ઇન્સ.શ્રી સી.બી. જાડેજા સા.ને હકીકતથી વાકેફ કરતા I/C  પો.ઇન્સ.શ્રી સી.બી.જાડેજા સા.એ અગાઉથી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ખંભાળીયા ડીવીઝનનાઓ પાસેથી જુ.ધા.ક.૬ મુજબનું વોરંટ મેળવેલ હોય અને આજરોજ સદરહું હકીકત અંગે ખરાઇ કરતા હાલ પ્રવૃતિ ચાલુ હોય જે અંગે સદરહું જગ્યાએ જુગાર અંગે રેઇડમાં જવા પો.સ્ટાફના હાજર  I/C પો.ઇન્સ.શ્રી સી.બી.જાડેજા સા.તથા પો.કોન્સ. મહિરાજદાન મનહરદાન ગઢવી તથા પો.કોન્સ.રવિભાઇ મનહરભાઇ સોલંકી વિગેરે સ્ટાફના માણસોને સાથે તુરંત જ નજીકમાંથી બે રાહદારી પંચો બોલાવી ઉપરોકત બાબતની સમજ કરછ મેળવેલ. જુ.ધા.ક.૬ મુજબનું વોરંટ ૧૧/૧૮ તા.૧૪/પ/૨૦૧૮ વાડામાં પંચોની સહી લઇ મળેલ બાતમીના આધારે ભીમરાના ગામ કૃષ્ણનગર સોસાયટી આંગણવાડીની સામે રહેતા બાલુભા સામતભા માણેકના રેહનાક મકાને રેઇડ કરતા જે પૈકી (૧) બાલુભા સામતભા માણેક રહે.ભીમરાના ગામ કૃષ્ણનગર સોસાયટી ટ.દ્વારકા વી.કુલ-૯ વાળાઓને જુગારના સાધનો તથા રોકડા રૂપિયા ૭૪૨૦ તથા મો.ફોન તથા વાહનો મળી કુલ રૂ.૫૮૯૨૦ તથા ગંજીપત્તાના પાના નંગ પરના મુદામાલ સાથે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રેકર્ડ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જીલ્લાના પો.અધી.શ્રી રોહન આનંદ સા.ણી સુચના તથા માર્ગદર્શન મુજબ મીઠાપુર પો.સ્ટે.ના I/C  પો.ઇન્સ.શ્રી.સી.બી.જાડેજા સા.તથા પો.હેડ કોન્સ.કિશોરસિંહ રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહિરાજદાન મનહરદાન ગઢવી તથા પો.કોન્સ.રવિભાઇ મનહરભાઇ સોલંકીનાઓ એ કરેલ છે.

(11:50 am IST)